અમદાવાદ શહેરમાં ચાલુ ચોમાસાની સીઝનમાં amcની અનેક બેદરકારી સામે આવી છે જેના કારણે નિર્દોષનો ભોગ લેવાયો છે, ત્યારે નારોલમાં 2 દિવસ પહેલા વરસાદી પાણીમાં કરંટ લાગવાથી દંપતીના મોત મામલે ફરિયાદ નોંધાતા AMCના કર્મચારી સહિત 5 લોકો આવી ગયા છે પોલીસ સકંજામાં. નારોલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
AMCનાં બે એન્જિનિયર અને કંપનીના માણસોની કરાઈ અટકાયત
થોડા સમય અગાઉ નારોલ વિસ્તારમાં રાત્રીના સમયે મટન ગલીમાં એક દંપતી પોતાના મોપેડ પર જઈ રહ્યું હતું ત્યારે રોડ પર ખાડા હતા અને તેમા વરસાદી પાણી ભરાયેલા હતા જેમાં વીજ કરંટ લાગવાના કારણે દંપતીનું સ્થળ પર મોત નિપજ્યું હતું. આ મામલે નારોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા 5 લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલમાં પોલીસે નિશાંત એન્ટર પ્રાઇઝ નામની કંપનીના કોન્ટ્રાકટર સૈયદ ઝહિર અને તેની કંપનીના 2 એન્જિનિયર અજય પરમાર અને નયન કાપડિયાની ધરપકડ કરી છે, તો AMCનાં બે એન્જિનિયર જીગ્નેશ ગામીત અને પંકજ મચ્છારની ધરપકડ કરી છે.













