અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરાએ ગત 10 ઓગસ્ટે સાબરમતી નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ હવે મૃતક સગીરાનો આપઘાત પહેલાનો એક વિડીયો સામે આવ્યો છે. નાની ઉંમરે લગ્ન થયા બાદ લગ્નજીવનમાં સર્જાયેલા અણબનાવને કારણે પતિએ તેને ઘરમાંથી કાઢી મૂકી હોવાનો આક્ષેપ કરાયો છે. ત્યારથી સગીરા પિતાના ઘરે પરત આવીને સતત માનસિક દુઃખ અને તણાવમાં રહેતી હતી.

વિડીયોમાં પતિ સામે ગંભીર આક્ષેપો

આપઘાત જેવું અંતિમ પગલું ભરતા પહેલા સગીરાએ પોતાના પતિને ઉદ્દેશીને એક વિડીયો રેકોર્ડ કર્યો હતો. આ વિડીયોમાં તેણે પતિ સામે અત્યાચાર અને નકામા સંબંધો અંગેના ગંભીર આક્ષેપો કર્યા હતા. ઘટના બાદ સાબરમતી નદીમાંથી સગીરાનો મૃતદેહ મળી આવતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

પોલીસે પતિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી

મૃતક સગીરાના પિતાની ફરિયાદના આધારે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં પતિ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આપઘાત પહેલાં બનાવેલા વિડીયો અને અન્ય મહત્વના પુરાવાઓ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પતિની પૂછપરછ અને ઘટનાના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Bhavnagar News : સમરસ હોસ્ટેલના ભોજનમાં જીવાતો નીકળતા હોબાળો, વિદ્યાર્થીઓમાં રોષ