અંકલેશ્વરના અમરતપુરા પાટીયા નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા પોલીસકર્મીનું મોત થયું છે, પોલીસકર્મી અરવિંદ અવચળભાઇનું મોત થતા પોલીસ બેડામાં શોકની લાગણી છે, શ્વાન માટે જીવદયા પ્રેમીનો સંપર્ક કરવા જતા અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે, અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.


અંકલેશ્વરમાં હિટ એન્ડ રનમાં પોલીસકર્મીનું મોત થયું

અંકલેશ્વર શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઉત્તમપુરા (ડાંગિયા) ગામના યુવા પોલીસ કર્મી રવિંદભાઈ અવચળભાઈ ચૌધરીનું દુર્ઘટનાગ્રસ્ત અવસાનના સમાચારથી સમગ્ર પોલીસ પરિવાર અને શહેરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે મૃતક પોલીસકર્મીએ રસ્તા પર ઈજાગ્રસ્ત હાલતમાં પડેલા શ્વાનને જોઈ તરત મદદ કરી અને એનિમલ એમ્બ્યુલન્સ બોલાવી અને તેનું જીવન બચાવ્યું. પરંતુ, આ સન્માનનીય કાર્ય પૂર્ણ કર્યા પછી રોડ ક્રોસ કરતી વખતે અજાણ્યા વાહન સાથે અથડાઈ તેમણે પોતાનું અમૂલ્ય જીવન ગુમાવ્યું. છે. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.

16 દિવસ અગાઉ અંકલેશ્વર NH 48 પર હિટ એન્ડ રનની ઘટના બની હતી

અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર હિટ એન્ડ રનની ઘટનામાં એક પોલીસકર્મીનું મોત થયું હતુ. ટ્રાફિકનું નિયમન કરી રહેલા પોલીસકર્મીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી, જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જી વાહનચાલક ફરાર થઈ ગયો હતો. આ દુર્ઘટના અંકલેશ્વરના પાનોલી નજીક બની હતી. મૃતક પોલીસકર્મીનું નામ વિવેકસિંહ ડાભી હતું, જેઓ ટ્રાફિક પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા. ટક્કર વાગતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

હિટ એન્ડ રન કાયદો શું છે

હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.

 

  • Follow us on: