દેવભૂમિ દ્વારકા તાલુકાના લાંબા ગામના તળાવમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવવા માટે મોટો ખુલાસો સામે આવ્યો છે. આ યુવાનનું ડૂબી જવાથી મોત નથી થયું પરંતુ તેની હત્યા કરી દેવામાં આવી છે. આ યુવકની પથ્થરના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે. પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાંખ્યો છે.
તળાવમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો
દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના લાંબા ગામના તળાવમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહની તપાસ કરતાં મોટો ઘટસ્ફોટ થયો છે. આ યુવકનું તળાવમાં ડૂબી જવાથી મોત નથી થયું પરંતુ તેની હત્યા કરી દેવામાં આવી હતી. સંતોષ કુમાર ગ્વાલ નામના યુવાનને તળાવમાં ધક્કો મારી પથ્થરના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેવાયો હોવાની વિગતો જાણવા મળી છે. આરોપી રામ નરેશ સાકેતે તેના મિત્ર સંતોષ કુમાર ગ્વાલને નાશ્તો કરવા લઈ જવાના બહાને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
