ગાંધીનગરના રાયપુર ગામમાં બાળકીની હત્યાના ચકચારી કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ કેસના આરોપી અનિલ પાસેથી વધુ વિગતો મેળવવા માટે પોલીસે તેને ઘટનાસ્થળે લઇ જઈને ગુનાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું. પોલીસની હાજરીમાં આરોપીએ બાળકીને કઈ રીતે ઘરે બોલાવી, હત્યાને કઈ રીતે અંજામ આપ્યો અને ત્યારબાદ બાળકીની લાશને કઈ રીતે સગેવગે કરી તેનું સંપૂર્ણ દ્રશ્ય પોલીસ દ્વારા રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. આ રિકન્સ્ટ્રકશનનો હેતુ પોલીસને નક્કર પુરાવા મેળવવામાં મદદરૂપ થવાનો છે.
પોલીસે ત્રણ દિવસના રિમાન્ડની કરી હતી માગ
રિકન્સ્ટ્રકશનની કાર્યવાહી પૂર્ણ થવા બાદ પોલીસે આરોપી અનિલને કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, હત્યા પાછળનો ચોક્કસ હેતુ ગુનામાં અન્ય કોઈની સંડોવણી અને લાશ છુપાવવામાં વપરાયેલા સાધનોની વિગતો મેળવવા માટે આરોપીની વધુ પૂછપરછ જરૂરી છે. આ માટે પોલીસે આરોપી અનિલના 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.













