ગાંધીનગરમાં સચિવાલયના ગેટ પાસે જ એક એસઆરપી જવાને આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી છે. આપઘાતનું કારણ હજી અકબંધ છે. જવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. મૃતક પાસેથી એક ચીઠ્ઠી મળી આવી છે. જેમાં મકાનનો હિસાબ લખેલો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
મૃતક પાસેથી એક ચીઠ્ઠી મળી આવી
ગાંધીનગરમાં સચિવાલયના ગેટ પાસે એસઆરપી ગ્રુપ 9ના વડોદરાના જવાને અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ જવાન મુળ ભાવનગરનો વતની હોવાનું સામે આવ્યું છે. પોલીસની તપાસમાં પ્રાથમિક માહિતી પ્રમાણે આપઘાતનું કારણ અંગત હોવાનું સામે આવ્યું છે. મૃતક જવાન રાજેન્દ્રસિંહ ચંદુભા ગોહિલ પાસેથી એક ચીઠ્ઠી મળી આવી છે. આ ચીઠ્ઠીમાં કોઈને આપઘાત કરવા જવાબદાર ગણવામાં નથી આવ્યું.
