સાબરકાંઠામાં નશામાં ધૂત પોલીસે અકસ્માત સર્જ્યો હોવાના સમાચાર મળ્યા છે. કાયદાનું પાલન કરાવનાર પોલીસ કર્મચારી જ નશામાં ધૂત બનીને ત્રણથી ચાર વાહનોને અડફેટમાં લેતા ચકચાર મચી ગઇ હતી.
જાદર ગામમાં પોલીસકર્મીએ 3-4 વાહન અડફેટે લીધા
મળેલી માહિતી મુજબ જાદર ગામમાં પોલીસકર્મીએ 3-4 વાહન અડફેટે લીધા હતા. પોલીસ સ્ટેશનથી માત્ર 20 મીટરના અંતરે પોલીસ કર્મચારી હસમુખસિંહે અકસ્માત કર્યો હતો.













