પાટણ જિલ્લાના સમી તાલુકાના કઠીવાડા નજીક આવેલી બંધ જિનિંગ મિલમાંથી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવેલી માસૂમ બાળકીના કેસમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ બાળકી ત્યજી દેવાયેલી નહીં પરંતુ ખરીદવામાં આવી હતી. આ મામલે ઝડપાયેલા પ્રેમી યુગલ પરેશ ઠાકોર અને રેખાબેન વાલ્મિકીની સઘન પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે તેઓએ આ માસૂમ બાળકીને માત્ર રૂ. 10,000 માં વેચાતી લીધી હતી.
સંતાનની જરૂરિયાત માટે અમદાવાદથી કરી ખરીદી
પોલીસ તપાસમાં ખૂલેલી વિગતો અનુસાર, 4 બાળકોની માતા રેખાબેનના પતિના અવસાન બાદ તેને પરેશ ઠાકોર સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. બંનેને સંતાનની જરૂરિયાત હોવાથી તેઓએ આશરે બે મહિના પહેલાં અમદાવાદના સિકંદર નામના શખ્સ પાસેથી આ બાળકી ખરીદી હતી. જોકે બાદમાં કોઈ ચોક્કસ કારણોસર કે વિવાદને પગલે બાળકીને બંધ જિનિંગ મિલમાં મૂકી દેવામાં આવી હતી.
