રાજકોટ શહેરમાં આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યો છે. શહેરમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા વેપારીઓ સામે કાચદાનો સકંજો કસાયો છે. અત્યાર સુધી પનીર, તેલ, ઘી સહિતની નકલી બનાવટો પકડાતી હતી.હવે બાળકોની ચોકલેટ પણ આ ભેળસેળિયા તત્વોએ બાકી નથી રાખી. આરોગ્ય વિભાગની ટીમે એક ચોકલેટના સ્ટોર પર દરોડા પાડ્યા હતાં. જેમાં એક્સપાયરી ડેટ વાળી ચોકલેટો પકડાઈ હતી.
ઈન્જેક્શનમાં જેલી જેવું સીરપ નાંખવામાં આવતું
રાજકોટના આરોગ્ય વિભાગે શહેરના ડાયમંડ ચોકલેટના ગોડાઉન પર દરોડા પાડ્યા હતાં. આ દરમિયાન તપાસમાં ગોડાઉનમાંથી ગંભીર ક્ષતિઓ સામે આવી હતી.આ ગોડાઉનમાંથી એક્સપાયરી ડેટ વાળી ચોકલેટનો 200 કિલો જેટલો મોટો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમને જાણવા મળ્યું હતું કે, બાળકોને આ ચોકલેટ મારફતે પીવાના ઈન્જેક્શનનું વેચાણ કરવામાં આવતું હતું. ઈન્જેક્શનમાં જેલી જેવું સીરપ નાંખવામાં આવતું હતું.
