સુરતના ભેસ્તાન વિસ્તારમાં બહુચર્ચિત સતીશ મરાઠાની હત્યાના મામલે પાંડેસરા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આ ગુનામાં સંકળાયેલા વધુ એક મુખ્ય આરોપી રાહુલ ઉર્ફે 'આરકે'ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ધરપકડ સાથે જ હત્યા કેસના તમામ તાર મેળવવામાં પોલીસને મોટી મદદ મળશે.

અગાઉ 4 સગીર સહિત 8 લોકોની કરાઈ હતી અટકાયત

આ ચકચારી હત્યાકાંડ બાદ પોલીસ વડાની સૂચનાથી તપાસ ધમધમાવવામાં આવી હતી. જેમાં પાંડેસરા પોલીસે અગાઉ કાયદાના સંઘર્ષમાં આવેલા 4 બાળ કિશોરો (સગીરો) સહિત કુલ 8 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. રાહુલ ઉર્ફે આરકેની અટકાયત થતાં આ કેસમાં પકડાયેલા આરોપીઓની સંખ્યામાં વધારો થયો છે.

આરોપીનો કબજો ભેસ્તાન પોલીસને સોંપવાની તજવીજ

પાંડેસરા પોલીસે આરોપી રાહુલ ઉર્ફે આરકેની અટકાયત કર્યા બાદ હવે આગળની કાનૂની તપાસ અને કાર્યવાહી માટે તેનો કબજો ભેસ્તાન પોલીસ મથકને સોંપવાની કવાયત હાથ ધરી છે. ભેસ્તાન પોલીસ હવે આરોપીની કડક પૂછપરછ કરી હત્યા પાછળના મુખ્ય કારણો અને અન્ય વિગતો બહાર લાવશે.

આ પણ વાંચો : Ahmedabadના મક્તમપુરા વોર્ડમાં હોબાળો, કોર્પોરેટર સાથે ગાળાગાળી કરી આપી ધમકી, જાણો શું છે સમગ્ર મામલો...