સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી સરસ્વતી આવાસ સોસાયટી ખાતે કુખ્યાત સતીશ મરાઠાની જાહેરમાં કરવામાં આવેલી કરપીણ હત્યાના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર અને સનસનાટી મચી ગઈ હતી. ધોળા દિવસે બનેલી આ લોહિયાળ ઘટનાએ કાયદો અને વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કર્યા હતા, કારણ કે હુમલાખોરોએ નિર્દયતાપૂર્વક યુવકને નિશાન બનાવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
સુરત પોલીસની સરાહનીય કામગીરી
આ ચકચારી હત્યાકાંડના પડઘા વહેલી તકે પડતા જ સુરત પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. સુરત પોલીસની સઘન તપાસના પરિણામે ગણતરીના જ કલાકોમાં આ હત્યા કેસમાં સંડોવાયેલા તમામ 8 હત્યારાઓની ધરપકડ કરવામાં સફળતા મળી છે, જે પોલીસની ઉત્તમ કામગીરી દર્શાવે છે.
