સુરતના સચિન વિસ્તારમાં આવેલા પાલી ગામમાં એક અત્યંત કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલી શ્રી મહાવીર પેલેસ સોસાયટીનો મુખ્ય લોખંડનો ગેટ અચાનક ધરાશાયી થઈને માસૂમ બાળક પર પડતાં 4 વર્ષના સની કુમાર નામના બાળકનું ગંભીર ઈજાઓના કારણે નીપજ્યું છે. માસૂમ સની તેની માતા સાથે આશરે બે મહિના પહેલાં જ સુરત આવ્યો હતો અને પરિવાર મહાવીર પેલેસના રૂમ નંબર 310 માં રહેતો હતો.
મુખ્ય ગેટ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતો
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, સોસાયટીનો આ મુખ્ય ગેટ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતો અને તેની યોગ્ય મરામત કરાવવા અંગે અગાઉ રજૂઆતો પણ કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી ન કરાતાં આ દુર્ઘટના સર્જાઈ હોવાનો સ્થાનિકોએ ગંભીર આક્ષેપ કર્યો છે.
