દાદરા નગર હવેલીમાં સામુહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. પિતાએ બે બાળકો સાથે આત્મહત્યા કરી છે. સેલવાસના સમરવર્ણી વિસ્તારની ઘટના બની છે. પોલીસને ઘટનાની જાણ થતા દોડી ગઈ હતી. પોલીસને ઘટના સ્થળેથી સ્યુસાઇડ નોટ મળી આવી છે. કૌટુંબિક, આર્થિક કારણોસર આપઘાત કર્યાની આશંકા કરવામાં આવી છે. મૃતક પરિવાર મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે. સ્યુસાઇડ નોટના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
દાદરા નગર હવેલીમાં સામુહિક આત્મહત્યા












