દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં તહેવારો નજીક આવી રહ્યા છે તેવા જ સમયે વરસાદ ખેંચાતાં ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ખેતરોમાં ઉભેલા પાકને પાણીની તાતી જરૂરિયાત હોવાથી સિંચાઈના પાણીની અછતને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી. આ મુશ્કેલ પરિસ્થિતિને ધ્યાને રાખીને સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સૌની યોજના અંતર્ગત પાણી છોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

વર્તુ-1 અને સોનમતી ડેમમાં સૌની યોજનાનું પાણી છોડાયું

સરકારના આ નિર્ણયથી ભાણવડ વિસ્તારના મુખ્ય જળાશય એવા વર્તુ-1 અને સોનમતી ડેમમાં સૌની યોજનાનું પાણી ઠાલવવામાં આવ્યું હતું. ડેમોમાં નવા નીરની આવક થતાં જળાશયોનું જળસ્તર ઊંચું આવ્યું છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં પાણીની સમસ્યા હળવી થઈ છે અને ડેમોમાં પાણીનો પુષ્કળ જથ્થો ઉપલબ્ધ થયો છે.

300 જેટલા ખેડૂતોને સીધો લાભ, કૃષિ ક્ષેત્રે રાહત

ડેમોમાં પાણી છોડાવાના કારણે ભાણવડ પંથકના આશરે 300 જેટલા ખેડૂતોને સીધો સિંચાઈનો લાભ મળ્યો છે. સુકાઈ રહેલા પાકને સમયસર પાણી મળી જતાં ખેડૂતોના ચહેરા પર ખુશી અને હર્ષની લાગણી જોવા મળી હતી. સમયસર પાણી પૂરું પાડી પાકને ઉગારી લેવા બદલ સ્થાનિક ખેડૂતોએ તંત્ર અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : Bhavnagar લઠ્ઠાકાંડમાં SMCની મોટી કાર્યવાહી! વધુ એક આરોપી ઝડપાયો, કુલ 28 આરોપી થયા