ભારત સરકારે તેરાપંથી જૈન આચાર્ય મહાપ્રજ્ઞજીની 105 મી જન્મજયંતિની શાનદાર ઉજવણી કરી. આ પાવન પ્રસંગે આચાર્ય મહાપ્રજ્ઞજીના સન્માનમાં 100 રૂપિયાના મૂલ્યનો 40 ગ્રામ શુદ્ધ ચાંદીનો સ્મારક સિક્કો બહાર પાડવામાં આવ્યો. આ સિક્કો ભારત સરકારની મુંબઈ ટંકશાળ દ્વારા બનાવવામાં આવ્યો છે. આ પ્રસંગે ભારતભરમાંથી મોટી સંખ્યામાં જૈન સમાજના ભક્તો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.


સિક્કાનું અનાવરણ કરવામાં આવ્યું

આચાર્ય મહાપ્રજ્ઞજીએ સમાજ અને આધ્યાત્મિક ક્ષેત્રમાં આપેલા અમૂલ્ય યોગદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે આ સિક્કાનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ સિક્કાનું અનાવરણ તેમના સાહિત્યિક યોગદાન, અહિંસાના સંદેશ અને સમાજ સુધારણાના કાર્યોને બિરદાવવા માટે કરવામાં આવ્યું છે. આચાર્ય મહાપ્રજ્ઞજીએ અનેક પુસ્તકો, કવિતાઓ અને લેખો લખ્યા છે, જેણે જૈન દર્શન અને જ્ઞાનનો પ્રસાર કર્યો છે. તેઓએ 'અહિંસા યાત્રા' દ્વારા દેશભરમાં શાંતિ અને સૌહાર્દનો સંદેશ ફેલાવ્યો હતો. આ સિક્કો માત્ર એક સ્મારક જ નથી, પરંતુ તેમનું જીવન અને સિદ્ધાંતોનું એક પ્રતીક છે, જે આવનારી પેઢીઓને પ્રેરણા આપતું રહેશે.

મહાપ્રજ્ઞજીના આશીર્વાદ આપ્યા

આ સ્મારક સિક્કાના અનાવરણથી જૈન સમાજમાં ખુશી અને ગૌરવની લાગણી ફેલાઈ છે. ભક્તો આ સિક્કાને આચાર્ય મહાપ્રજ્ઞજીના આશીર્વાદ સ્વરૂપે માની રહ્યા છે. આ ઘટના દર્શાવે છે કે ભારત સરકાર મહાન સંતો અને સમાજ સુધારકોના યોગદાનને માન્યતા આપે છે. આ સિક્કો કલેક્ટર્સ અને જૈન ધર્મમાં શ્રદ્ધા ધરાવતા લોકો માટે એક મૂલ્યવાન યાદગીરી બની રહેશે. આચાર્ય મહાપ્રજ્ઞજીનું જીવન અને કાર્ય હંમેશા સમાજને સાચા માર્ગે ચાલવા માટે પ્રેરિત કરતું રહેશે.


  • Follow us on: