ગાંધીનગરના વાવોલ ગામ નજીક આવેલા રેલવે ફાટક પાસેથી એક વૃદ્ધનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ વૃદ્ધ પાંચ દિવસ પહેલા ઘરેથી ગુમ થયા હતા અને પરિવારજનો તેમને શોધી રહ્યા હતા. જોકે તેમનો મૃતદેહ રેલવે ટ્રેક નજીકથી મળતા આ મોત પાછળનું કારણ રહસ્યમય બન્યું છે. વૃદ્ધ પાંચ દિવસ પહેલા ઘરેથી કોઈને પણ કહ્યા વગર નીકળી ગયા હતા.


5 દિવસ પેહલા વૃદ્ધ ઘરેથી કહ્યા વગર નીકળી ગયા હતા

પરિવારજનોએ તેમને શોધવા માટે અનેક જગ્યાએ તપાસ કરી હતી. પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો નહોતો. જ્યારે આજે તેમનો મૃતદેહ રેલવે ફાટક પાસેથી મળી આવ્યો હતો. મળ્યાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈને તેને પી.એમ. માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો છે. પોલીસ માટે આ મામલો અત્યંત પેચીદો બન્યો છે.

પરિવારે વૃદ્ધને શોધવા અનેક પ્રયાસ કર્યા છતાં ન મળ્યા

પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ વૃદ્ધનું મોત હત્યા છે કે આત્મહત્યા. ઘટનાસ્થળનું નિરીક્ષણ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને વૃદ્ધના ગુમ થવા પાછળનું અને તેમના મોત પાછળનું કારણ જાણવા માટે પ્રયાસો કરી રહી છે.


  • Follow us on: