ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો છે. મુખ્યપ્રધાનના હસ્તે વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. LLM, MBAના 250 વિદ્યાર્થીઓને આ પદવીદાન સમારોહમાં પદવી એનાયત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીનો આ પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો છે, જેમાં મુખ્યપ્રધાનના હસ્તે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી છે.


મેરિટાઈમ સેક્ટર માટે યુનિવર્સિટી મહત્વનીઃ CM

ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સંબોધનની શરૂઆત કરતા પહેલા જ આજે મંગલપાંડેની જન્મ તિથિ પર તેમને યાદ કર્યા હતા અને ત્યારબાદ પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. તેમને કહ્યું કે પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ વિકસિત ભારતના ભાગીદાર છે. મેરિટાઈમ સેક્ટર માટે આપણી યુનિવર્સિટી મહત્વની છે. વડાપ્રધાન મોદી એવું માનતા હતા કે વિશ્વમાં જે શ્રેષ્ઠ હોય તે ગુજરાતમાં હોય. ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટી તેનું ઉત્તમ ઉદાહરણ છે.

30 ટકા જેટલો કાર્ગો ગુજરાતમાં આવે છેઃ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ

ગુજરાત પાસે સૌથી મોટો દરિયા કિનારો છે, 30 ટકા જેટલો દેશનો કાર્ગો ગુજરાતમાં આવે છે. વધુમાં મુખ્યપ્રધાને કહ્યું કે મેરિટાઈમ સેક્ટરમાં ટ્રેઈન વર્કફોર્સ ગુજરાતમાંથી ઉપલબ્ધ થાય તે મહત્વનું છે. પદવી પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપું છું. સમુદ્ર પોર્ટનો ગુજરાતનો 5 હજાર વર્ષનો ભવ્ય ઈતિહાસ રહ્યો છે. લોથલ આ ઈતિહાસનું સાક્ષી છે. સમુદ્ર ક્ષેત્રનો વિકાસ ખૂબ જરૂરી છે. 

  • Follow us on: