ગાંધીનગરમાં હજું હમણાં જ નવા બનાવાયેલા મેટ્રો સ્ટેશનમાં તોડફોડ કરવામાં આવી છે જેના કારણે લોકોમાં ઉત્તેજના જોવા મળી રહી છે. 6 મહિનામાં એવું તો શું થયું કે તંત્રએ તોડફોડ કરવી પડી તે અંગે સવાલ ઉભા થયા છે. યોગ્ય રીતે આયોજન ના કરાયું હોવાથી આજે નવા જ મેટ્રો સ્ટેશનમાં તોડફોડ કરાઇ છે ત્યારે પ્રશ્ન એ છે કે આ કામગિરીમાં જે લાખો રુપિયાનો ખર્ચો થયો તે કોણ ભોગવશે.
નવા બનેલા મેટ્રો સ્ટેશનમાં તોડફોડ
મળેલી માહિતી પ્રમાણે ગાંધીનગરમાં નવા બનેલા મેટ્રો સ્ટેશનમાં તોડફોડ કરવામાં આવી છે. સચિવાલય મેટ્રો સ્ટેશનની ફૂટપાથ, પગથિયાને જેસીબીની મદદથી તોડી દેવાની કામગિરી શરુ કરાઇ છે. ફૂટપાથ અને પગથિયા કેમ તોડાઇ રહ્યા છે તે વિશે લોકોમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે













