ગુજરાતમા ચેલેન્જની રાજનીતિ ગરમ થઈ છે. ગાંધીનગરમાં મોરબીના ધારાસભ્ય અને તેમના સમર્થકો દ્વારા શક્તિપ્રદર્શન કરવામાં આવ્યું છે. આ મામલે મોરબી ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું નિવેદન સામે આવ્યું છે. મે ગોપાલભાઇને ચેલેન્જ કરી હતી, ‘ગોપાલભાઇને હજુ સમય આપવા તૈયાર છુ’, ગોપાલભાઇ પહેલા શપથ લઇ લે પછી રાજીનામું આપે’, એમણે સમય માંગ્યો હોત અધ્યક્ષ તેને સમય આપતા.


ગુજરાતમાં ચેલેન્જની રાજનીતિ

આ કોઈ પાટીદાર ની વાત નથી આ હુ અને ગોપાલ ભાઈની વાત છે. 7 દિવસ વરસાદ પાડ્યો ખાડા પડ્યા એના કાર્યકર્તાઓ કહેતા હતા એટલે મે ચેલેન્જ આપી છે. મારે પાર્ટીમાં પૂછવાની જરૂર નથી. ગોપાલ ભાઈ બીજા રસ્તે વાત કરવાની વાત કરે છે એ ના ચાલે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ચેલેન્જ સ્વીકાર્યા બાદ પણ દેખાયા નથી. આ ડ્રામા વચ્ચે અનેક સવાલો સામે આવ્યાં છે. લોકોના કામો કરવાની જગ્યાએ ધારાસભ્યો ચેલેન્જની રાજનીતિ કેમ રમી રહ્યાં છે. વિધાનસભા પરિસરમાં કોની મંજૂરીથી કાર્યકરો પ્રવેશ્યા છે. શા માટે આ ધારાસભ્યો જનતાના પૈસાનું પાણી કરી રહ્યાં છે.

બે કેબિનેટ મંત્રીઓએ આ મુદ્દે મૌન પાળ્યું

બીજી તરફ રાજ્ય સરકારના બે કેબિનેટ મંત્રીઓએ આ મુદ્દે મૌન પાળ્યું હતું. આજે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, આ ચેલેન્જની વિકાસની રાજનીતિ છે. ગુજરાતમાં ફક્ત વિકાસની રાજનીતિ ચાલે છે. રાજીનામું આપવા બાબતે સરકાર કાંતિ અમૃતિયાને શિખામણ આપવા અંગે તેઓ મૌન રહ્યાં હતાં. આ ઉપરાંત ગઈ કાલે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ પણ કહ્યું હતું કે, રાજકીય પાર્ટીના આગેવાનોએ સાચવીને નિવેદન આપવું જોઈએ.


  • Follow us on: