આવતીકાલે પહેલી જુલાઈના રોજ ગાંધીનગરમાં ગુજરાત સરકારની કેબિનેટની બેઠક મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં રાજ્યની સાંપ્રત પરિસ્થિતિ પર ચર્ચા વિચારણા કરાશે. આ ઉપરાંત ચોમાસાની સ્થિતિ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે પણ ચર્ચાઓ કરાશે. રાજ્યમાં હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન અંગે પણ ચર્ચાઓ કરવામાં આવશે.  


ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ અંગે ચર્ચા 

આવતીકાલે યોજાનારી કેબિનેટની બેઠકમાં રાજયમાં પૂર પ્રભાવિત જિલ્લામાં તંત્રની તૈયારીઓ કેવી છે તે અંગે પણ ચર્ચાઓ કરવામાં આવશે. સંભવિત અતિવૃષ્ટીમાં રાહત કાર્યોના આયોજનની પણ ચર્ચાઓ કરાશે. વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદોની પણ સમીક્ષા હાથ ધરાશે. રાજ્યમાં 2026-27ના બજેટમાં નવી યોજનાઓનો ફાસ્ટ ટ્રેક રિવ્યૂ કરાશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ અંગે ચર્ચા કરાશે. તાજેતરમાં જાહેર થયેલી નવી ઔદ્યોગિક નીતિના અમલીકરણ અંગે ચર્ચાઓ કરાશે. 

ખેડૂત આંદોલન અંગે પણ આવતીકાલે નિર્ણય લેવાઈ શકે છે

ગુજરાતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન અંગે પણ આવતીકાલે મોટા સમાચાર સામે આવી શકે છે. રાજ્ય સરકાર ખેડૂતોની માગ સંતોષતી જાહેરાત કરી શકે છે. આવતીકાલે કેબિનેટની બેઠકમાં આ જાહેરાત થાય તેવી શક્યતાઓ છે. આ સમગ્ર મામલે બે સિનિયર મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને ઊર્જા મંત્રીને જવાબદારી સોંપાવામાં આવી છે. રાજ્ય સરકારે વીજપોલ અંગે પણ પોલીસી જાહેર કરી શકે છે. વર્તમાનમાં ખેડૂતોને જે વળતર મળી રહ્યું છે તેમાં વધુ વળતર આપવાની શક્યતાઓ છે. 


આ પણ વાંચોઃ Ahmedabad News: મેરેજ સર્ટિફિકેટ ભલે હોય પણ સાત ફેરાની વિધિ વિના હિન્દુ લગ્ન અમાન્ય : ગુજરાત હાઈકોર્ટ


  • Follow us on: