ગત જુલાઈ મહિનામાં વડોદરાના પાદરામા ગંભીરા બ્રિજ તૂટ્યો હતો. આ ઘટનામાં 22 લોકોના મોત થયા હતાં. ત્યારે આ મુદ્દો આજથી શરૂ થયેલા વિધાનસભાના સત્ર દરમિયાન ગૃહમાં ગાજ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. જેનો સરકારે ગૃહમાં જવાબ આપ્યો હતો.
રાજ્યમાં અન્ય બ્રિજની ચકાસણી કરવામાં આવી
કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ વિધાનસભામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેના જવાબમાં સરકારે કહ્યું હતું કે, આ ઘટનામાં 22 લોકોના મોત થયાં છે અને ચાર અધિકારીઓને ફરજ મોકૂફ કર્યા છે. સમગ્ર દુર્ઘટના બાદ રાજ્યમાં અન્ય બ્રિજની ચકાસણી કરવામાં આવી છે. જેમાં 1054 મેજર અને 5475 માઈનોર બ્રિજની ચકાસણી કરવામાં આવી છે. આ ઉપરાંત 239 સીડી સ્ટ્રકચર બ્રિજની ચકાસણી કરાઈ છે.













