ગુજરાતમાં ભારે વરસાદ, વાવાઝોડું, વીજળી પડવા સહિત કુદરતી આફતોના કારણે ત્રણ વર્ષમાં 605 લોકોના મોત થયા છે. જયારે 12370 પશુઓના મોત નોંધાયા છે.વરસાદી આફતને કારણે કાચા અને પાકા મકાનોને સંપૂર્ણ અથવા તો અંશતઃ નુકસાન થયું છે.51,449 મકાનોને નુકસાન થવા પામ્યું છે.આ આંકડા વર્ષ 2023-24થી 2025-26ની સ્થિતિના છે.
ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું
ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે.ત્રણ વર્ષના સમય ગાળામાં ગુજરાતમાં 1.33 લાખ હેક્ટરમાં પાકને નુકસાન થયું છે.વર્ષ 2023-24માં સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ હેઠળ રાજ્ય અને કેન્દ્રના હિસ્સા સહિત 1556 કરોડની ફાળવણી કરવામાં આવી હતી.એ પછી 2024-25માં 1635 કરોડ અને વર્ષ 2025-26માં 1716 કરોડની ફાળવણી કરવામાં આવી હતી.
