ગાંધીનગરમાં પાટીદાર આગેવાનોની બેઠક પૂર્ણ થઈ છે. પાટીદાર સમાજના વિવિધ પ્રશ્નોને લઈ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. પાટીદાર સમાજને ક્ષત્રિય સંકલન સમિતિનો ટેકો કર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં EWSને અનામતની માંગ કરી છે ત્યારે ક્ષત્રિય સંકલન સમિતિના રમજૂભા જાડેજાની પ્રતિક્રિયા સામે આવી છે. પાટીદાર સમાજે EWS લાગુ કરવા કરેલી માંગણી યોગ્ય છે. આ મુદ્દો એક સમાજનો નથી ક્ષત્રિય સમાજ પણ એમાં આવે છે.


EWSને અનામતને ક્ષત્રિય સંકલન સમિતિએ ટેકો જાહેર કર્યો 

પાટીદાર સમાજની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં EWSને અનામતને ક્ષત્રિય સંકલન સમિતિએ ટેકો જાહેર કર્યો છે. પાટીદાર સમાજે EWS લાગુ પડવા કરેલ માંગણીઓ યોગ્ય છે. આ મુદ્દો એક સમાજ નો નથી ક્ષત્રિય સમાજ પણ એમાં આવે છે.પાટીદાર સમાજની ચિંતન શિબિરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં EWS અનામતનો રહ્યો. આ બેઠકમાં OBC, SC અને ST સમુદાયની જેમ EWS માં આવતા લોકોને પણ રાજકારણમાં અનામત મળે તેવી પ્રબળ માંગણી ઉઠી છે.

 10 જેટલા સમાજના મુદાઓ પર ચર્ચા થઈ

પાટીદાર આગેવાનોની બેઠકમાં પાટીદાર સમાજના વિવિધ પ્રશ્નોને લઈ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 10% અનામતની માગ કરવામાં આવી છે. બિન અનામત આયોગના ચેરમેનની નિમણૂકની માંગણી કરવામાં આવી છે. 10 વર્ષ બાદ પાટીદાર આંદોલનના આગેવાનો એકઠા થયા છે. 10 જેટલા સમાજના મુદાઓ પર ચર્ચા થઈ છે.


  • Follow us on: