ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇન, વીજ ટાવર ઉભા કરવા બદલ ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે વધારો જાહેર કર્યો છે.આ નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય અને બજાર આધારિત વળતર મળશે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે,ગુજરાત સરકાર હંમેશા ખેડૂતોની સુખાકારી માટે કટિબદ્ધ છે. ખેડૂતો સાથે વિસ્તૃત ચર્ચા-વિમર્શ કર્યા બાદ અને તેમની વાસ્તવિક મુશ્કેલીઓને સમજીને સરકારે વીજ પોલ વળતરની નવી પોલિસી જાહેર કરી છે.
કાંતિ અમૃતિયાએ આવકારી રાજ્ય સરકારનો આભાર માન્યો
આ નિર્ણય મુજબ, હવે જમીનની વાસ્તવિક બજાર કિંમત નક્કી કરવા માટે MRCની રચના કરવામાં આવશે અને ખેડૂતોને એકસાથે 100% વળતર ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ નિર્ણયને મંત્રી કાંતિ અમૃતિયાએ આવકારી રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. તેમણે સ્વીકાર્યું હતું કે,વીજ પોલ નાખવાની પ્રક્રિયા દરમિયાન મોરબી સહિતના અનેક વિસ્તારોમાં ખેડૂતોને મળતું વળતર ખૂબ જ ઓછું હતું, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં હતા અને તેમને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.
