વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 8 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. તેમના આ પ્રવાસને લઈને રાજ્ય સરકાર અને ભાજપ સંગઠન દ્વારા તૈયારીઓનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન બપોરે 12:00 વાગ્યે વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે
વડોદરા એરપોર્ટથી તેઓ સીધા એમ.એસ. યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે પહોંચશે, જ્યાં વિશાળ જનસભાને સંબોધિત કરશે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મધ્ય ગુજરાત માટે વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડોદરાનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન બપોરે ૩:૦૦ વાગ્યે હેલિકોપ્ટર (ચોપર) મારફતે દક્ષિણ ગુજરાતના નવસારી ખાતે પહોંચશે. નવસારીમાં તેઓ નવનિર્મિત જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’નું વિધિવત ઉદ્ઘાટન કરશે.
