ગાંધીનગરના છાપરા, સેક્ટર, ચરેડી અને પેથાપુર વિસ્તારોમાં રહેતા લોકોએ તેમના દબાણો ન તોડવા માટે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ રજૂઆત આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તુષાર પરીખની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં લોકો દ્વારા કરવામાં આવી હતી. સ્થાનિકોનો મુખ્ય મુદ્દો એ હતો કે છેલ્લા 30 વર્ષથી તેઓ આ ઝૂંપડાઓમાં રહી રહ્યા છે અને કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા વિના તેમને બેઘર કરવા યોગ્ય નથી.
વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરવા માંગ













