ગુજરાત વિધાનસભામાં વંદે માતરમ્ ના ગાન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા બેસી જવાના મુદ્દે ઊભા થયેલા વિવાદ પર કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ મામલે કોંગ્રેસ પક્ષનું કોઈ સત્તાવાર સ્ટેન્ડ ન હતું.
ઇમરાન ખેડાવાલાએ દિલગીરી વ્યક્ત કરી
તુષાર ચૌધરીએ જણાવ્યું કે, ઇમરાન ખેડાવાલા વંદે માતરમ્ ના બે અંતરા પૂર્ણ થયા બાદ બેસી ગયા હતા. આ ઘટના બાદ તેમણે પક્ષ સમક્ષ પોતાની દિલગીરી વ્યક્ત કરી છે. જોકે, આ સમગ્ર મામલે કોંગ્રેસ પક્ષ પણ ઇમરાન ખેડાવાલા પાસેથી વિધિવત ખુલાસો માગશે.
