રાજ્ય પોલીસ તંત્રમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્યના પોલીસ વડા દ્વારા કુલ 21 પોલીસ ઇન્સ્પેક્ટરો (PI)ની બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. આ બદલીને પગલે પોલીસ વિભાગમાં નવી ગોઠવણી અને કાર્યક્ષમતા વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

14 પોલીસ ઈન્સ્પેક્ટરોની એન્ટી કરપ્શન બ્યુરોમાં બદલી
મળતી માહિતી મુજબ, 14 પોલીસ ઇન્સ્પેક્ટરોને એન્ટી કરપ્શન બ્યુરોમાં બદલી આપવામાં આવી છે. આ પગલાંથી ભ્રષ્ટાચાર વિરોધી કામગીરીને વધુ મજબૂત બનાવવાનો ઉદ્દેશ્ય છે. ACBમાં અનુભવી અધિકારીઓની નિમણૂંકથી તપાસની પ્રક્રિયા વધુ અસરકારક બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ઈન્ટેલિજન્સ બ્રાન્ચ (IB)માં ફરજ બજાવતા 7 PIને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં બદલી આપવામાં આવી છે. આ બદલીથી સ્થાનિક સ્તરે ગુપ્તચર માહિતી એકત્રિત કરવાની ક્ષમતા વધશે અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં મદદ મળશે.
અધિકારીઓને તાત્કાલિક ફરજ સંભાળવા સૂચના
મળતી માહિતી મુજબ આ બદલી નિયમિત વહીવટી પ્રક્રિયાનો ભાગ છે, પરંતુ તેની પાછળ કાર્યક્ષમતામાં સુધારો અને વિભાગીય સંકલન મજબૂત કરવાનો હેતુ છે. નવી જગ્યાએ નિમણૂક મળેલા અધિકારીઓને તાત્કાલિક ફરજ સંભાળવા સૂચના આપવામાં આવી છે. આ ફેરફારોને કારણે પોલીસ તંત્રમાં નવી ઊર્જા અને કાર્યપદ્ધતિમાં સુધારો જોવા મળી શકે છે. સાથે જ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Patan News: રાધનપુરમાં ફર્યું 'દાદાનું બુલડોઝર', 40 વર્ષ જૂના ગેરકાયદે દબાણોનો સફાયો