દિવાળીના તહેવારો ફરી એક વાર ઘાતક સાબિત થયા છે. દિવાળી અને બેસતા વર્ષે રાજ્યની 108 ઇમરજન્સી વાન સતત રાજ્યભરના રસ્તાઓ પર દોડતી રહી હતી. બેસતા વર્ષે સાંજે 4 વાગ્યા સુધી રાજ્યમાં 108 ઇમરજન્સી કેસ 3282 નોંધાયા છે જે ગયા વર્ષ કરતા વધું છે.


કુલ 3282 ઇમરજન્સી કેસ મળ્યા

108 ઇમરજન્સી દ્વારા જે આંકડા મળ્યા છે તે મુજબ નવા વર્ષે સાંજે 4 વાગ્યા સુધી 108 ઇમરજન્સી માં કુલ 3282 ઇમરજન્સી કેસ મળ્યા છે, જે સામાન્ય દિવસોની સરખામણીમાં 323નો વધારો દર્શાવે છે.

547 માર્ગ અકસ્માતો

ઉપરાંત સામાન્ય દિવસોની સરખામણીમાં 547 માર્ગ અકસ્માતો નોંધાયા છે જે 263 માર્ગ અકસ્માતોની સરખામણીમાં 284 માર્ગ અકસ્માતોનો વધારો દર્શાવે છે.

2 જેટલા દાઝી જવાના કેસ પણ નોંધાયા

આ સાથે દિવાળીના તહેવારોમાં 12 જેટલા દાઝી જવાના કેસ પણ નોંધાયા છે. ખાસ કરીને અમદાવાદમાં 5 તથા સુરતમાં 3 દાઝી સજવાના કેસ નોંધાયા છે.

માર્ગ અકસ્માતના કેસોમાં ૭૩.૧૮% નો મોટો વધારો

દિવાળી દરમિયાનની મુખ્ય ઇમરજન્સી જોઇએ તો માર્ગ અકસ્માતના કેસોમાં ૭૩.૧૮% નો મોટો વધારો નોંધાયો છે જે સામાન્ય રીતે ૫૨૯ કેસ સામે આ વખતે ૯૧૯ ઇમરજન્સી નોંધાઈ છે જ્યારે વાહન સિવાયના અકસ્માતોમાં ઇજાઓમાં ૭૫.૭૩% નો વધારો થયો છે જેમાં સામાન્ય સરેરાશ ૪૯૧ સામે ૮૬૨ કેસ નોંધાયા છે. શ્વાસ લેવામાં તકલીફના કેસમાં ૪.૮૨% નો વધારો નોંધાયો છે. જે તહેવાર દરમિયાન પ્રદૂષણ અને પર્યાવરણીય અસરને દર્શાવે છે.

ભાઈબીજે ૧૨.૧૧% નો વધારો થવાની સંભાવના

૧૦૮-EMS અંદાજ લગાવી રહ્યું છે કે નવા વર્ષની ઉજવણી દરમિયાન ઇમરજન્સી કેસોમાં ૧૮.૨૪% નો વધારો અને ભાઈબીજે ૧૨.૧૧% નો વધારો થવાની સંભાવના છે.


  • Follow us on: