સાબરકાંઠામાં સાબરડેરીમાં ભાવ ફેર મુદ્દે પશુપાલકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. હજારોની સંખ્યામાં ઉમટેલા ખેડૂતો અને પશુપાલકોએ હંગામો મચાવ્યો હતો. પશુપાલકોએ હિંમતનગર તલોદ વચ્ચેનો મુખ્યમાર્ગ બંધ કર્યો હતો. રોડ પર બેસીને ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો. પશુપાલકોએ ડેરી સામે 25 ટકા સુધીનો ભાવફેર ચૂકવવા માગ કરી છે.ખેડૂતોના ટોળા ઉમટતા પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. ટોળાને નિયંત્રિત કરવા માટે પોલીસે ટીયર ગેસના 50 સેલ છોડ્યા હતાં. આ ઉપરાંત 20થી વધુ પશુપાલકોને રાઉન્ડ અપ કર્યા હતાં.
ટોળાની તોડફોડમાં પોલીસના ચાર વાહનોને નુકસાન પહોંચ્યું













