સુરતથી દુબઈ જઈ રહેલી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં ઉડાન ભર્યા બાદ મધદરિયે એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતા તેને તાત્કાલિક અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. આ ફ્લાઈટમાં 150 થી વધુ મુસાફરો સવાર હતા અને બધા સુરક્ષિત છે. જોકે, આ ઘટનાથી મુસાફરોમાં થોડા સમય માટે ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું. ફ્લાઈટના પાયલટે પરિસ્થિતિને કાબૂમાં લઈ તેને અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરાવી હતી.
મુસાફરોને હાલાકી અને એરપોર્ટ પર અટવાયા













