જામનગરમાં માનવતાને શરમસાર કરતો એક અત્યંત કરુણ બનાવ સામે આવ્યો છે. શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા એક વિકાસગૃહના પારણામાં કોઈ અજાણી વ્યક્તિ દ્વારા એક નવજાત શિશુને ત્યજી દેવામાં આવ્યું હતું. આ ઘટનાએ સમાજમાં આક્રોશ અને દુઃખની લાગણી ફેલાવી છે. કડકડતી ઠંડીમાં કે ગરમીમાં આવા નાના બાળકને ત્યજી દેવું એ અત્યંત અમાનવીય કૃત્ય છે.
શિશુની હાલત ગંભીર, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયું













