જામનગર શહેરના વિવિધ વિસ્તારમાં વિકાસ કાર્યોથી નાગરિકોને નવી સુવિધાઓ મળશે તેવી આશા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ મજબૂત બનાવવા અને લોકોની સુવિધામાં વધારો કરવા માટે કુલ 61 કરોડ રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ યોજનાઓ હેઠળ શહેરના વોર્ડ નંબર 1, 2, 5, 6, 10 અને 11માં રોડ, પાણી, નિકાસ અને અન્ય સહુલતો માટે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવશે.
કાર્યની ગુણવત્તા અને સમયમર્યાદા બંને જાળવી રાખી કામગીરી કરવી : રીવાબા જાડેજા
ખાસ કરીને ખોડીયાર કોલોની વિસ્તારમાં 6-લાઈન રોડ નિર્માણ કાર્ય માટે અંદાજે 15 કરોડ રૂપિયાનું ખર્ચ કરીને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ માર્ગનું કાર્ય પૂર્ણ થયા પછી શહેરમાં વાહનવ્યવહાર સરળ બનશે અને લોકો માટે મુસાફરી વધુ સુરક્ષિત અને સુગમ બની રહેશે. આ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા ઉપસ્થિત રહી ખાતમુહૂર્ત કર્યું હતું. મંત્રીએ કોન્ટ્રાક્ટરને તાકીદ કરી કે કાર્યની ગુણવત્તા અને સમયમર્યાદા બંને જાળવી રાખી કામગીરી પૂર્ણ કરવામાં આવે. મંત્રીએ કહ્યું કે શહેરના નાગરિકો માટે સુવિધાઓ સમયસર પૂર્ણ થાય તે મહત્વપૂર્ણ છે અને દરેક વિકાસ કાર્ય નાગરિકો સુધી લાભ પહોંચાડવું જોઈએ.
