કમોસમી વરસાદે ફરી એક વાર ગુજરાતના નદી નાળા અને ડેમને છલકાવી દીધા છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની આવક વધતા 5000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જો કે હાલ સ્થિતિ ચિંતાજનક નથી પણ નદી કિનારાના ગામોના લોકોને સાવધ રહેવા જણાવાયું છે.
નર્મદા ડેમનો 1 દરવાજો 62 સેમી ખોલવામાં આવ્યો
ઉપરવાસમાં થયેલા ભારે કમોસમી વરસાદના પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે જેથી નર્મદા ડેમમાંથી 5000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલ નર્મદા ડેમનો 1 દરવાજો 62 સેમી ખોલવામાં આવ્યો છે.













