અમદાવાદ શહેરમાં મે મહિનાની શરૂઆતમાં પણ આકરી ગરમીની આગાહી કરવામાં આવી છે. ભીષણ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે શહેરમાં લોકોને જળસંકટનો સામનો કરવો પડશે. શહેરને પાણી પૂરૂ પાડતી નર્મદાની મુખ્ય લાઈનમાં નુકસાન થવાને કારણે તેનું રિપેરિંગ હાથ ધરાશે. જેથી શહેરમાં પાંચ ઝોનમાં આજે 10થી 15 ટકા પાણી જાહેર કરાયો છે.
કોતરપુર વોટર વર્ક્સમાં પાણી ઓછું હોવાથી પાણીકાપ
તંત્રના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ, મધ્ય, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં આગામી 10 દિવસ સુધી પાણીનો પુરવઠો પ્રભાવિત રહેશે.નર્મદા લાઈનમાં થયેલા ભંગાણને કારણે કોતરપુર વોટર વર્ક્સમાં પાણીનો સંગ્રહ ઓછો થઈ રહ્યો છે.જેને પગલે વોટર સ્ટેશનો પર પાણી પૂરતા દબાણથી મળી શકશે નહીં.ઉનાળાની પીક સીઝનમાં જ્યારે પાણીની જરૂરિયાત સૌથી વધુ હોય છે ત્યારે જ તંત્ર દ્વારા લેવાયેલા આ નિર્ણયને કારણે ગૃહિણીઓ અને સામાન્ય નાગરિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.
