અમદાવાદના ઐતિહાસિક જમાલપુર સ્થિત જગન્નાથ મંદિર ખાતે આજે અક્ષય તૃતીયાના મંગલ પર્વ પર 149મી રથયાત્રાની તૈયારીઓનો વિધિવત પ્રારંભ થયો છે. દર વર્ષની પરંપરા મુજબ, આજના દિવસે ભગવાનના રથોનું પૂજન કરવામાં આવ્યું હતું. મંદિરના મહંત અને ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે રથપૂજનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી, જેની સાથે જ આગામી રથયાત્રા માટેનો ઉત્સાહ ભક્તોમાં જોવા મળી રહ્યો છે.


ભગવાન જગન્નાથને શીતળતા અર્પતી ચંદનયાત્રાનો પ્રારંભ

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ભગવાનને શીતળતા આપવા માટે આજે મંદિરમાં 'ચંદનયાત્રા'ની શરૂઆત કરવામાં આવી હતી. આ પરંપરાગત વિધિમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના વિગ્રહ પર ચંદનનો લેપ લગાવવામાં આવ્યો હતો. ભક્તોએ મોટી સંખ્યામાં મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. માન્યતા મુજબ, અક્ષય તૃતીયાથી શરૂ થતી આ ચંદનયાત્રા દ્વારા ભગવાનને શીતળ શૃંગાર કરવામાં આવે છે.

149મી રથયાત્રાને લઈને ધાર્મિક ઉત્સાહનો માહોલ

અમદાવાદમાં નીકળનારી આ વર્ષની 149મી રથયાત્રાને લઈને મંદિર તંત્ર અને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથપૂજન બાદ હવે રથોના સમારકામ, રંગરોગાન અને અન્ય વ્યવસ્થાઓને આખરી ઓપ આપવાની કામગીરી તેજ કરવામાં આવશે. રથયાત્રાના પર્વને હજુ સમય હોવા છતાં, આજની પૂજન વિધિથી જમાલપુર વિસ્તારમાં અત્યારથી જ 'જય રણછોડ'ના નાદ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. આ વર્ષે રથયાત્રા 16 જુલાઈ, 2026 ના રોજ યોજાનાર છે.


આ પણ વાંચો - Jagannath Rath Yatra 2026: ક્યારે નીકળશે નાથ નગરચર્યાએ, જાણીલો જગન્નાથ રથ યાત્રા ક્યારે છે



  • Follow us on: