શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલી કૃષ્ણનગરી રો-હાઉસમાં ગત મોડી રાત્રે આગ લાગવાની એક હૃદયદ્રાવક ઘટના બની છે. આ દુર્ઘટનામાં મકાન નંબર 4 માં રહેતા એક વૃદ્ધા અને બાળકનું ગંભીર રીતે દાઝી જવાથી કરુણ મોત નીપજ્યું છે.
મકાન આગથી એક વૃદ્ધા અને બાળકનું મોત
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત રાત્રે અંદાજે 3:00 વાગ્યાની આસપાસ જ્યારે સોસાયટીના રહીશો ગાઢ નિદ્રામાં હતા, ત્યારે અચાનક કૃષ્ણનગરી રો-હાઉસના મકાન નંબર 4 માંથી આગની જ્વાળાઓ દેખાવા લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અફરાતફરી મચી ગઈ હતી.
