અમદાવાદના વાહનચાલકો માટે ટ્રાફિકના જાળમાંથી મુક્તિ મેળવવાના મોટા સમાચાર સામે આવ્યા છે. શહેરના વ્યસ્ત રસ્તાઓ પર હવે ટ્રાફિકનું સંચાલન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ દ્વારા 'એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ' (ATCS) અમલમાં મૂકવામાં આવી છે.


શું છે આ AI સિસ્ટમ?

અત્યાર સુધી ટ્રાફિક સિગ્નલનો સમય ફિક્સ રહેતો હતો, ભલે રસ્તો ખાલી હોય. પરંતુ આ નવી હાઈ-ટેક સિસ્ટમમાં જંકશન પર ખાસ કેમેરા અને સેન્સર્સ લગાવવામાં આવ્યા છે. આ સેન્સર્સ વાહનોની સંખ્યા (ઘનતા), તેમની સ્પીડ અને લેનના વપરાશ પર નજર રાખશે. જે બાજુ વાહનોની લાઈન લાંબી હશે, ત્યાં AI આપોઆપ લીલી લાઈટનો સમય વધારી દેશે અને જ્યાં વાહનો ઓછા હશે ત્યાં સમય ઘટાડી દેશે.

વાહનચાલકોને સીધો ફાયદો

 ખાલી રોડ પર સિગ્નલ ખૂલવાની ખોટી રાહ જોવી નહીં પડે.સિગ્નલ પર વારંવાર એન્જિન ચાલુ-બંધ કરવાની જરૂરિયાત ઘટતા પેટ્રોલ-ડીઝલના ખર્ચમાં રાહત મળશે. ટ્રાફિક જામ ઓછો થતા વાયુ પ્રદૂષણ પણ ઘટશે.

પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત

હાલમાં શહેરના સૌથી વધુ વ્યસ્ત એવા 10 જંકશનો પર આ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. જો આ પ્રયોગ સફળ રહેશે, તો આગામી સમયમાં સમગ્ર અમદાવાદ અને રાજ્યના અન્ય મેટ્રો શહેરોમાં પણ આ AI ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવશે.

આ પણ વાંચો: Surat: નોકરી અને આવાસના બહાને કરોડોનું ફૂલેકું, ન્યૂઝ પેપરના તંત્રીએ 16 લોકો સાથે 2.42 કરોડની છેતરપિંડી આચરી

  • Follow us on: