સુરત શહેરમાંથી છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સરકારી આવાસ અને નોકરી અપાવવાના બહાને નિર્દોષ લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવવામાં આવ્યા છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે આ મામલે ખટોદરા વિસ્તારમાંથી 'જનાદેશ' નામનું ન્યૂઝ પેપર ચલાવતા મુખ્ય આરોપી રાજેન્દ્ર ચૌધરી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
સરકારી આવાસ અને નોકરીના બહાને છેતરપિંડી
આરોપી રાજેન્દ્ર ચૌધરી લોકોને સુરત મહાનગરપાલિકા (SMC) માં પોતાની મોટી વગ હોવાનું જણાવી વિશ્વાસમાં લેતો હતો. તે સરકારી આવાસ અપાવવા માટે ₹12 થી 13 લાખ અને સરકારી નોકરી માટે ₹15 લાખની માંગણી કરતો હતો. અત્યાર સુધીમાં 16 જેટલા ભોગ બનનારાઓ સામે આવ્યા છે, જેમની પાસેથી અંદાજે ₹2.42 કરોડની રકમ ખંખેરી લેવામાં આવી છે.










