અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મુસાફરી કરતા નાગરિકો માટે મેટ્રો કનેક્ટિવિટી હવે વધુ સુવિધાયુક્ત અને વ્યવસ્થિત બની છે. દિલ્હી અને અન્ય મેટ્રો શહેરોની તર્જ પર હવે અમદાવાદ મેટ્રોમાં પણ અલગ-અલગ રૂટને વિશિષ્ટ 'કલર કોડ' અને નામ આપવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિર સુધીના રૂટના લોકાર્પણ બાદ હવે આખું નેટવર્ક ચાર લાઈનમાં વહેંચાઈ ગયું છે.
કઈ લાઈન કયા રૂટ પર દોડશે?
મુસાફરો સ્ટેશન અને રૂટની ઓળખ સરળતાથી કરી શકે તે માટે નીચે મુજબ કલર કોડ જાહેર કરાયા છે:













