અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે એક ગમગીન ઘટના બની છે, જ્યાં બાવળા-મટોડા વચ્ચેની રેલવે લાઇન પર એક અજાણ્યા યુવકે આપઘાત કરી લીધો છે. આ ઘટના બાવળા બુટ ભવાની નગર પાછળ પસાર થતી રેલવે લાઇન પર, બાવળા બ્રિજ અને સિગ્નલ વચ્ચે પોલ નંબર 45/2 પાસે બની હતી. યુવકે આત્મહત્યા કરતાં સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.


બાવળા બ્રિજ અને સિગ્નલ વચ્ચેનો બનાવ

બનાવની જાણ થતાં જ રેલવે સ્ટેશનના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાની માહિતી મળતા પોલીસે પણ સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસે મૃતક યુવકની ઓળખ સ્થાપિત કરવાની અને તેના આપઘાતના કારણો જાણવાની કાર્યવાહી શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: