અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આઈ.સી.ડી.એસ. વિભાગ હેઠળના અર્બન ઘટક 01 થી 17માં હાલ કુલ 2128 આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. રાજ્ય સરકારના અનુદાનથી ચાલતી આ સંસ્થાઓમાં આંતરમાળખાકીય સુવિધાઓ સુદ્રઢ બને અને બાળ વિકાસની ગતિશીલતામાં વધારો થાય તેવા ઉમદા હેતુ સાથે તંત્ર દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે.
શિક્ષણ મળી રહે તે માટે આ કેન્દ્રોનું ભૌતિક માળખું મજબૂત કરવું અનિવાર્ય
આ યોજનાના અસરકારક અમલીકરણ માટે વિવિધ વિભાગો સાથે સંકલન સાધીને બાળકોનો સર્વાંગી વિકાસ કરવો, આરોગ્ય અને પોષણનું સ્તર સુધારવું તેમજ બાળ મૃત્યુદર અને કુપોષણ ઘટાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આંગણવાડી કેન્દ્ર એ બાળ વિકાસ યોજનાનો પાયો છે, ત્યારે સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓને પૂરક પોષણ અને શિક્ષણ મળી રહે તે માટે આ કેન્દ્રોનું ભૌતિક માળખું મજબૂત કરવું અનિવાર્ય બન્યું છે.












