અમદાવાદ શહેરમાં ચંડોળા તળાવ અને ઈસનપુરમાં ડિમોલિશનની કામગીરી કરાઈ હતી, જેને લઈ કામગીરી પૂર્ણ થયા બાદ શહેર પોલીસ કમિશનરે નિરીક્ષણ કર્યુ હતુ અને ચંડોળા તળાવમાં ચાલતી કામગીરીની માહિતી મેળવી હતી આ વખતે DCP ઝોન-6 સહિતના અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી અને ચંડોળા તળાવમાં ચાલતી કામગીરીની પણ સમીક્ષા કરી હતી.


અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ કોર્પોરેશને ઈસનપુરમાં મેગા ડિમોલિશન કર્યુ હતુ

અમદાવાદમાં ચંડોળા બાદ વધુ એક તળાવ પર ગેરકાયદેસર કબ્જા મામલે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે, ઇસનપુર તળાવ પર બંધાયેલા 918 જેટલા પાકા મકાનો દૂર કરવાની કામગીરી કરાઈ છે અને 15થી વધુ JCB અને મોટી સંખ્યામાં પોલીસ સ્ટેન્ડ બાય કરાઈ છે, ચંડોળા તળાવમાં જેમ લોકો મકાન બાંધીને રહેતા હતા તેવી રીતે ઈસનપુરના આ તળાવમાં પણ 1000થી વધુ લોકો રહેતા હોવાની વાત સામે આવી છે, જેને લઈ આજે વહેલી સવારથી કોર્પોરેશન દબાણ દૂર કરવા માટે પહોંચી હતી.

ચંડોળા તળાવમાં EWS સ્કીમ હેઠળ બનાવાશે મકાન

ચંડોળા તળાવને ઝુંપડપટ્ટી મુક્ત કરવા માટે ઝુંપડાવાસીઓને EWS મકાનો ફાળવવા અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરાયેલા ઠરાવમાં ૧-૧૨-૨૦૧૦ અગાઉ ચંડોળા તળાવ વિસ્તારમાં રહેનારાઓને જ આ યોજનાનો લાભ મળશે તેવી મહત્વની જોગવાઈ પણ કરવામાં આવી છે. તાજેતરનાં વર્ષોમાં ચંડોળાનાં કિનારે ઝુંપડા બનાવીને રહેતાં હશે તેમને આવાસ મળશે નહિ અને તેમને ત્યાંથી ખસેડવામાં આવશે. આ ઠરાવ મંજૂર કરીને તે અંગે રાજ્ય સરકારની મંજૂરી મેળવવામાં આવશે. ડ્રોન મારફતે સર્વે કરાવો છે અને ચંડોળા તળાવ અને તળાવની ફરતે આશરે ૨.૫૦ લાખ ચો.મી. જમીનમાં દબાણો હોવાનું જોવા મળ્યું હતુ.

આ પણ વાંચો : Rajkotમાં શિયાળામાં પ્રદૂષણ વધતા હવા ઝેરી બની, જુઓ Video


  • Follow us on: