યાત્રાધામ ચોટીલામાં ગૌશાળાના ડિમોલિશન મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ દરમિયાન કોર્ટે ટકોર કરી હતી કે, કોઈપણ કાયદાકિય કાર્યવાહી વિના ગૌશાળાને તોડવી નહીં. કાનૂની પ્રક્રિયા વિના કામગીરી થશે તો ભોગવવું પડશે. હાઈકોર્ટે આ મુદ્દે નાયબ કલેક્ટરને ખખડાવી નાંખ્યા હતાં.


કાયદાકિય કાર્યવાહી વિના ગૌશાળા તોડવી નહીં

યાત્રાધામ ચોટીલામાં ગૌશાળાના ડિમોલિશન મુદ્દે હાઈકોર્ટે ટકોર કરી હતી કે, કોઈપણ કાયદાકિય કાર્યવાહી વિના ગૌશાળા તોડવી નહીં. જો કાનૂની પ્રક્રિયા વિના ગૌ શાળા તોડાશે તો ભોગવવું પડશે. હાઈકોર્ટે નાયબ કલેક્ટરને નોકરી કરવી છે કે ઘરે જવું છે કહીને ખખડાવી નાંખ્યા હતાં. અરજદારે કોર્ટમાં ડેપ્યુટી કલેક્ટર સામે ગંભીર આક્ષેપ કર્યો હતો.

નોટીસ વિના જ ડિમોલિશન કરવામાં આવ્યું

અરજદારે કોર્ટમાં કહ્યું હતું કે, નોટીસ વિના જ ડિમોલિશન કરવામાં આવ્યું છે. સિંઘમના સોંગ સાથે નાયબ કલેક્ટર કામ કર્યાનો દાવો કરે છે. કોર્ટે કોઈપણ પ્રક્રિયા વિના કામગીરી થઈ હોવાની નોંધ કરી હતી. હાઈકોર્ટે ડેપ્યુટી કલેક્ટરને કહ્યું હતું કે, તપાસમાં બેદરકારી જણાશે તો સસ્પેન્ડ કરાશે. આગામી 9 ફેબ્રુઆરીએ વધુ સુનાવણી હાથ ધરાશે. 

આ પણ વાંચોઃ Bhuj એરપોર્ટ પર મોટી હોનારત ટળી, એર ઇન્ડિયાના વિમાનનું 3 નિષ્ફળ પ્રયાસ બાદ ચોથા રાઉન્ડે સુરક્ષિત લેન્ડિંગ


  • Follow us on: