સુભાષબ્રિજને 250 કરોડનાં ખર્ચે નવો બ્રિજ બનાવાશે અને 29 ડિસેમ્બરે નવા બ્રિજ માટે થશે ટેન્ડર પ્રક્રિયા અને 2 ફેઝમાં કરવામાં આવશે બ્રિજની કામગીરી, પ્રથમ ફેઝમાં હયાત બ્રિજને રિપેર કરવામાં આવશે અને બીજા ફેઝમાં નવો બ્રિજ બનાવવા કામગીરી કરાશે.


[[$googlead]]

સુભાષબ્રિજની પ્રાથમિક ડિઝાઇન કરાઇ તૈયાર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હારા સાબરમતી નદી પરના પર વર્ષ જૂના સુભાષબ્રિજને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ હવાત બ્રિજને સમાંતર હવે રૂ. ૨૫૦થી 300 કરોડના ખર્ચે 'ડબલ બિજ' બનાવવાનું આયોજન છે. આ પ્રોજેક્ટ હેઠળ હવાત બ્રિજનું રિસ્ટોરેશન થશે અને તેની બંને બાજુ નવા ૨-૨ લેનના બ્રિજ તૈયાર કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના રાલિપ, સાબરમતી, મોટેશ અને શાહીબાગ જેવા મહત્વના વિસ્તારોને જોડતો સુભાષબ્રિજ છેલ્લા પર વર્ષથી કાર્યરત છે.

આ બ્રિજને આધુનિક રીતે નવસાધ્ય કરવાનો નિર્ણય લેવાયો છે

તાજેતરમાં ૪ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ બ્રિજના ડેક સ્લેબમાં તિરાડો અને સેટલમેન્ટ જોવા મળતા તેને સલામતીના કારણોસર બંધ કરવામાં આવ્યો હતો. IIT રૂરકી અને SVNIT સુરતના નિષ્ણાતોની તપાસ બાદ હવે આ બ્રિજને આધુનિક રીતે નવસાધ્ય કરવાનો નિર્ણય લેવાયો છે. મહત્ત્વનું છે કે, આ પ્રોજેક્ટ પાછળ અંદાજિત ૨૫૦ કરોડનો ખર્ચ નિધારિત કરાયો છે, પરંતુ સ્ટીલ અને સિમેન્ટના ભાવમાં વધારો થતા આ આંકડો રૂ. ૩૦૦ કરોડ સુધી પહોંચવાની શક્યતા છે. આ સમગ્ર કામગીરી EPC (Engineering, Procurement, and Construction) માંડ હેઠળ કરવામાં આવશે.

[[$alsoread]]

સરકારે વિશેષ કિસ્સામાં 'સિંગલ ટેન્ડર' મંજૂર કરવાની પણ જાહેરાત કરી છે

આ પ્રોજેક્ટની ઝડપ વધારવા માટે સરકારે વિશેષ કિસ્સામાં 'સિંગલ ટેન્ડર' મંજૂર કરવાની પણ જાહેરાત કરી છે, જેનું ટેન્ડર આગામી સોમવારે પ્રસિદ્ધ થશે. સમયમર્યાદાની વાત કરીએ તો. પ્રાથમિક રિસ્ટોરેશનની કામગીરી ૯ થી ૧૮ મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે, જ્યારે સંપૂર્ણ પ્રોજેક્ટ આખરી ઓપ લેતા અંદાજે ૩ વર્ષ જેટલો સમય પણ લાગી શકે છે.


આ પણ વાંચો : Morbi News : મોરબીમાં ખેતમજૂરના નામે મહિલા મોકલી ખેડૂતને હનીટ્રેપમાં ફસાયા, પોલીસે 5 આરોપીની ધરપકડ કરી


  • Follow us on: