આરએસએસના પ્રમુખ મોહન ભાગવત 4 અને 5 માર્ચે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તે ગુજરાતમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેશે અને સંતોના આદ્યાત્મિક માર્ગદર્શનમાં હાજરી આપશે.


4 માર્ચે મોહન ભાગવત ખેડા સ્વામિનારાયણ મંદિરે જશે

4 માર્ચે મોહન ભાગવત ખેડા સ્વામિનારાયણ મંદિરે દર્શન કરી, ત્યાંના સંતો સાથે મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન તેઓ ધર્મ, સંસ્કૃતિ અને સમાજના અનેક પાસાઓ પર ચર્ચા કરશે.

જેતલપુર સ્વામિનારાયણ મંદિરે એક કાર્યક્રમમાં ભાગ લેશે

5 માર્ચે, મોહન ભાગવત જેતલપુર સ્વામિનારાયણ મંદિરે એક કાર્યક્રમમાં ભાગ લેશે તેમજ 5 માર્ચના રોજ, મોહન ભાગવત નાગપુર પરત જશે

 તમામ તૈયારી પૂર્ણ

આ મુલાકાતને લઈ આરએસએસના કાર્યકરો દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવાઇ છે.


આ પણ વાંચો----     Ahmedabad : વિદ્યાના ધામને કલંકિત કરતી ઘટના, ગુજરાત કોલેજ કેમ્પસમાં દારૂની ખાલી બોટલો મળી

  • Follow us on: