ગુજરાતના પ્રખ્યાત લોક ગાયક કીર્તિદાન ગઢવી અને પોલીસ અધિકારી SP રાજદીપસિંહ ઝાલાની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. એક વ્યક્તિને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવાના ગંભીર આક્ષેપ મામલે ગુજરાત હાઈકોર્ટે કીર્તિદાન ગઢવી અને રાજદીપસિંહ ઝાલાને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે. આ ઘટનાને પગલે રાજ્યના પોલીસ બેડા અને કલા જગતમાં ભારે ચર્ચાઓ જાગી છે.
શું છે સમગ્ર વિવાદ?
મળતી માહિતી મુજબ, જયેશ પરમાર નામના વ્યક્તિને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરતી અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. આ મામલે ગાંધીનગર સાયબર સેલની કામગીરી પર પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. અરજદારનો આક્ષેપ છે કે સત્તા અને વગનો દુરુપયોગ કરીને તેમને હેરાન કરવામાં આવ્યા છે. આ કેસમાં કીર્તિદાન ગઢવીની સંડોવણી હોવાના આક્ષેપોને પગલે કોર્ટે તેમને પણ જવાબદાર ગણી નોટિસ પાઠવી છે.













