રાજ્યમાં છેલ્લા બે દિવસથી પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાશે તેવી પ્રબળ અફવાઓ વચ્ચે આજે ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિએશને મૌન તોડ્યું છે. એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં ઇંધણની કોઈ અછત નથી અને સોશિયલ મીડિયામાં ચાલી રહેલી વાતો માત્ર અફવા છે.
પૂરતા પ્રમાણમાં ઇંધણનો સ્ટોક
અરવિંદ ઠક્કરે કહ્યું કે, ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક ઉપલબ્ધ છે. નાગરિકોએ ખોટી ચિંતા કરવાની કે પંપો પર ભીડ કરવાની કોઈ જરૂર નથી.













