અમદાવાદમાં દૂષિત પાણીની વધતી ફરિયાદો અને તેના કારણે રોગચાળાના કેસો સામે આવતા હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હરકતમાં આવ્યું છે. ખાસ કરીને ઘાટલોડિયા વિસ્તારમાં દૂષિત પાણીના કારણે લોકોમાં આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઉભી થવાની ફરિયાદો બાદ AMC દ્વારા ગંદા પાણીની ફરિયાદોના ઝડપી નિવારણ માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરવામાં આવી છે.
આ અંગે AMCની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં દૂષિત પાણી સંબંધિત ફરિયાદોના નિરાકરણ માટે સ્પષ્ટ માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે નાગરિકોની ફરિયાદોને ગંભીરતાથી લઈને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.













