બાર કાઉન્સિલ ઓફ ગુજરાત (BCG) ની 25 સભ્યોની નવી બોડી રચવા માટે આગામી 6 માર્ચના રોજ ચૂંટણી યોજાનાર છે. આ વખતે ચૂંટણીમાં રાજ્યભરના અંદાજે 1 લાખ 25 હજાર જેટલા નોંધાયેલા વકીલો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્દેશો બાદ, આ ચૂંટણીમાં પ્રથમવાર મહિલા પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે 7 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે, જે એક ઐતિહાસિક પગલું માનવામાં આવે છે. ચૂંટણીની તારીખ નજીક આવતા જ રાજ્યના તમામ જિલ્લા અને તાલુકા સ્તરના વકીલ સંગઠનો સક્રિય થયા છે અને પરિવર્તનની માંગ સાથે અનેક નવા ચહેરાઓ મેદાનમાં ઉતર્યા છે.


વકીલોમાં પરિવર્તનનો પવન

વર્તમાન સમયમાં ઉમેદવારો રાજ્યભરના વિવિધ કોર્ટ સંકુલોમાં જઈને જોરશોરથી જનસંપર્ક અભિયાન ચલાવી રહ્યા છે. યુવા વકીલોના પ્રશ્નો, જૂની પેન્શન યોજના, વકીલ પ્રોટેક્શન એક્ટ અને વેલ્ફેર ફંડ જેવા મુદ્દાઓ આ ચૂંટણીમાં કેન્દ્રસ્થાને છે. 25 પદ માટે યોજાનારી આ ચૂંટણીમાં અનેક દિગ્ગજ ધારાશાસ્ત્રીઓ અને યુવા નેતાઓ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. 6 માર્ચના રોજ મતદાન બાદ ગુજરાતની વકીલ આલમનું નવું નેતૃત્વ કોણ સંભાળશે તેના પર સૌની નજર ટકેલી છે.

આ પણ વાંચો : Gandhinagar News : ગાંધીનગર ચેરિટી કમિશનરનો મોટો નિર્ણય, મહુડી મંદિર વિવાદમાં ચુકાદો રખાયો અનામત

  • Follow us on: